Tuesday, October 23, 2012

કોણ કહે છે આત્માને નિરાકાર

હું શાને નાં કરું આટલો અહંકાર
જગતનાં સ્વામીને મેં ચીતર્યો આજ.

ઉગતા નો સહુ કરે છે જયકાર
સુર્ય ચંદ્ર ને પડછાયે મેં નોતર્યા આજ.
 
કોણ કહે છે આત્માને નિરાકાર
અહં બ્રમ્હ ને હાથે કરી મેં છેતર્યો આજ.
 
શું લખશે વિધાતા મારા નશીબ માં
રેખા બની બધે હથેળીમાં પ્રસર્યો આજ.

શબ્દોમાં હું શું વધુ ઓળખ દઉં મારી
અંતે સીતાજી જેમ અગ્નિમાં પ્રવેશ્યો આજ.
રેખા (સખી) 10/18/12
 

1 comment:

Anonymous said...

કોઈ નહી..